મોરબીના પીપળી ખાતે આવતીકાલે રવિવારે સંત રવિદાસજીની 646મી જન્મજયંતી ઉજવાશે

- text


મોરબી : મોરબીના પીપળી ખાતે આવેલા સંત કબીર કીરણધામ આશ્રમ ખાતે આવતીકાલે તારીખ 5 ફેબ્રુઆરીને રવિવારના રોજ સંત શિરોમણી રવિદાસજીની 646મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે.

આવતીકાલે 5 ફેબ્રુઆરી ને રવિવારે (મહાસુદ પુનમ) સંત શિરોમણી રવિદાસ યુથ ક્લબ- ગુજરાત દ્વારા સંત રવિદાસજીની 646મી જન્મજયંતીની રાજ્યકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ મોરબીના પીપળી ખાતેના સંત કબીર કીરણધામ આશ્રમ ખાતે કરવામાં આવશે. જેમાં સાંજે 5 કલાકે સંતોના સામૈયા થશે. સાંજે 6 થી 7-30 કલાકે સતગુરુ રવિદાસ લંગર/મહાપ્રસાદ યોજાશે. સાંજે 8 થી 9-30 કલાકે રવિદીપ-2023 કેલેન્ડરનું વિમોચન કરવામાં આવશે અને રાત્રે 9-30 કલાકે સંતવાણી અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગાયક કલાકાર ગોવિંદભાઈ વાણવી અને નવોદિત ગાયિકા માયા ચૌહાણ બજરંગ સાઉન્ડ-થાનગઢના સથવારે ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં અનેક સંતો-મહંતો અને રાજકીય-સામાજિક મહેમાનો ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text