પ્રમાણિકતા : દુકાને ભુલાયેલો મોબાઈલ મૂળ માલિકને પરત કરતા દુકાનદાર

- text


મોરબી : મોરબીના સામાંકાંઠે રહેતા અને વોર્ડ નંબર-4ના કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા ગતરાત્રે પોતાના બુટની ખરીદી કરવા માટે મોરબીમાં આવેલી ઉન્નતિ ફૂટવેરમાં ગયા હતા. બુટ લેવા આ દુકાને ગયા બાદ તેઓ પોતાનો કિંમતી ફોન આ ઉન્નતિ દુકાનમાં ભૂલી ગયા હતા અને બુટ લઈને તેઓ ઘરે પાછા આવી ગયા હતા. બાદમાં ફોન ભૂલી ગયાની તેઓ દુકાન માલિકને જાણ કરતા દુકાન માલિકે તુરંત જ મોબાઈલ પરત કરવાની ઈચ્છા દર્શાવી રાત્રે 10-30 વાગ્યા સુધી દુકાન ખુલી રાખીને તેઓએ મનસુખભાઇ બરાસરાને મોબાઈલ પરત કરીને પ્રમાણિકતા દાખવી હતી.

- text

- text