મોરબીના આંગણવાડી કાર્યકરે પુત્રના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકરે પોતાના પુત્રના જન્મદિવસે બાળકોને સ્ટેશનરીની ભેટ આપી ભોજન કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

લાયન્સનગરમાં આવેલી આંગણવાડીના કાર્યકર મુક્તાબેન સોલંકીના પુત્રનો આજે જન્મદિવસ હોવાથી તેઓએ આંગણવાડીમાં આવતા અંદાજે 30 જેટલા બાળકોને વોર્ડ નંબર 11ના કાઉન્સિલરના પતિ રોહિતભાઈ અને સામાજિક કાર્યકર અબ્દુલભાઈના હસ્તે નોટબુક,પેન્સિલ આપી હતી અને સાથે જ ચોકલેટ અને દૂધપાક, પુરી, ભાજીનું ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો. આ તકે સૌએ મુક્તાબેન સોલંકીના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

- text

- text