મોરબી : નરસંગ ટેકરી મંદિરમાં રવિવારે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ

- text


 

મોરબી: શાલીગ્રામ સેવા ટ્રસ્ટ અને સંસ્કાર ફિઝીયોકેર સેન્ટરના સંયુક્ત ઉપક્રેમ તા.5ને ફ્રેબુઆરીને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિરમાં નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરાપીના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાંત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પમાં કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, સાયટીકા/સાંધાના વા / ઘૂંટણમાં ઘસારા / ગાદી ખસવી, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર, પાર્કિંસંસ કંપવા, GBS તમાકું, ગુટકા તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ, લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ, પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો, હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફના દર્દીઓ કેમ્પનો લાભ લય શકશે. કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 8469349212 પર સંર્પક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

- text