5 ફેબ્રુઆરીએ મોરબીના સરસ્વતી શિશુમંદિર ખાતે શિક્ષણની ભારતીય સંકલ્પના વિષય પર વક્તવ્ય યોજાશે

- text


મોરબીઃ ભારતીય વિચાર મંચ- મોરબી તથા વિદ્યાભારતી મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 5 ફેબ્રુઆરીના રોજ સરસ્વતી શિશુમંદિર ખાતે શિક્ષણની ભારતીય સંકલ્પના વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના શક્ત શનાળા રોડ પર આવેલા સરસ્વતી શિશુમંદિર ખાતે આગામી 5 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન શિક્ષણની ભારતીય સંકલ્પના વિષય પર વક્તવ્ય યોજાશે. જેમાં કર્ણાવતીની પુનરુત્થાન વિદ્યાપીઠના કુલાધિપતિ સુશ્રી ઈન્દુમતીબેન કાટદરે વક્તા તરીકે હાજર રહીને ઉપરોક્ત વિષય પર વક્તવ્ય આપશે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શિક્ષણની સાચી સંકલ્પના જાણવા તથા સમજવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text