હળવદના ઢવાણા ગામે કેનાલના પાણી મુદ્દે મારમારીમાં દસ દિવસ બાદ વળતી ફરિયાદ

- text


હળવદ : હળવદના ઢવાણા ગામે માઇનોર કેનાલના પાણી લેવા મુદ્દે ગત તા.9 જાન્યુઆરીના રોજ થયેલ ઝઘડામાં એક પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યાના દસ દિવસ બાદ બીજા પક્ષે પણ બે શખ્સ વિરુદ્ધ માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે માઇનોર કેનાલના પાણી મામલે આરોપી કાલિકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુંભા ઝાલા અને દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુંભા કનકસિંહ ઝાલાએ ફરિયાદી ભુપતભાઇ ગજાભાઈ રાઠોડને કેનાલમાં રાખેલા પથ્થર કેમ પાડી દીધા કહી ગાળો આપી લાકડાના ધોકા વડે સાહેદ રણજીત અને મહિપતને માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની વળતી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text