રાજકોટના યુવાનનો મોરબીની હોટલમાં ગળેફાંસો

- text


આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યાનું ખુલ્યું

મોરબી : મોંઘવારીના આ સમયમાં જીવનનિર્વાહ ચલાવવો કઠિન બન્યો છે ત્યારે રાજકોટના યુવાને આર્થિક સંકળામણમાં મોરબીની હોટલના રૂમમા ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવપરા શેરી નંબર -3માં રહેતા સતિષભાઈ મચ્છાભાઈ સિંધવ ઉ.29નામના યુવાને મોરબી શહેરમાં આવેલી હોટલ વ્રજમા રૂમ નંબર 114મા પંખા સાથે કેબલ વાયર બાંધી આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સતિષભાઈએ આર્થિક સંકળામણને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું મૃતકના મોટાભાઈ કાળુભાઇ મચ્છાભાઈ સિંધવે જણાવ્યું હોવાનું હતું.

- text