- text
હળવદ : આસામમાં જેહાદી સંગઠનોએ હીંચકારા આંતકી હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં જેહાદી સંગઠનોએ આતંકી હુમલા કરી બજરંગ દળના કાર્યકર સહિત સાત હિંદુઓની કત્લેઆમ કરીને દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે.
આ આંતકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આસામમાં હિન્દૂઓની કત્લેઆમના વિરોધમાં હળવદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું. જેમાં હળવદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરોએ આસામના આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી આવા જેહાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
- text
- text