પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા જાડેજાનું 115 વર્ષની વયે નિધન

- text


મોરબી : આજના સમયમાં 65થી 70 વર્ષના આયુષ્યમા પણ માણસ અનેક બીમારીઓનો ભોગ બનતો હોય છે ત્યારે મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી જાડેજાનું આજરોજ 115 વર્ષની વયે અવસાન થયું છે, સુરેન્દ્રનગર જિલ્લાના ખોરજ ગામે પિયર ધરાવતા બાકુંવરબા જીવનભર નિરોગી રહેલા અને જીવનની અંતિમ ઘડીએ પણ સ્વસ્થ રહી સમગ્ર પરિવારને ધર્મ અને નીતિના રસ્તે ચાલવાનો સંદેશ આપી ચિરનિંદ્રામાં પોઢ્યા હતા. બાકુંવરબાના સાદગીભર્યા અને નિરોગી દીર્ઘાયુ બાદ વિદાયથી જાડેજા પરિવારે રામધૂન સાથે બા ને વિદાય આપી હતી.

- text

મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) નિવાસી બાકુંવરબા વખતસંગજી જાડેજા તે ભીખુભા વખતસંગજી જાડેજાના માતુશ્રી, ઉપેન્દ્રસિંહજી, શિવુભા અને રાજુભાના દાદીમાનું તા.17ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું આગામી તા.19ને ગુરુવારે તેમજ ઉત્તરક્રિયા તા.23 જાન્યુઆરીના રોજ પીલુડી ખાતે રાખેલ છે. મોબાઈલ નંબર 9879698016.

- text