મોરબીના જલારામ મંદિરે કણઝારીયા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજાયો

- text


મોરબી: મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબી સતવારા સમાજના અગ્રણી રામજીભાઈ ગણેશભાઈ કણઝારીયા, મોહનભાઈ રામજીભાઈ કણઝારીયા તથા મણીબેન રામજીભાઈ કણઝારીયા પરિવાર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.

ભુખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનાં હેતુસર કણઝારીયા પરિવાર દ્વારા યોજાયેલા મહાપ્રસાદ બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ જલારામબાપા તેમના પરિવારની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના પાઠવી હતી.

- text

- text