22 ડિસેમ્બરે વાંકાનેરમાં ભવ્ય લોક ડાયરો યોજાશે

- text


સાગરદાન ગઢવી, હિતેશ અંટાળા, પુજા ચૌહાણ અને કમાભાઈ (કમો) ઉપસ્થિત રહેશે

વાંકાનેરઃ વાંકાનેરના આંગણે આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન ભુવા અમીનભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.

ભુવા અમીનભાઈ, પ્રિન્સભાઈ અણદાણી અને અમીરભાઈ અણદાણી, જેરાજભાઈ કરીમભાઈ અણદાણી દ્વારા વાંકાનેર ‘ફુલવાડી’, કુંભારપરા ખાતે 22 ડિસેમ્બરે રાત્રે 9-30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે. આ લોક ડાયરામાં કલાકારો સાગરદાન ગઢવી, હિતેશભાઈ અંટાળા અને પુજાબેન ચૌહાણ ગીત અને હાસ્યની રમઝટ બોલાવશે. સાથે જ દિવ્યાંગ સેલિબ્રિટી કમાભાઈ (કમો) પણ ઉપસ્થિત રહેશે. આ ડાયરામાં મુખ્ય મહેમાન તરીકે મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહ બાપુ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિલાલ અમૃતિયા સહિતના મહેમાનો હાજરી આપશે.

- text

- text