- text
વાંકાનેર : જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગાયત્રી મંદીર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા 35 કૃતિ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી અને અશ્વિનગીરીબાપુએ હાજરી આપી હતી. આ પ્રદર્શનમાં ચોથા વિભાગમાં ગુંદાખડા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય અને ગોધાણી વિશાલ તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમારની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામી હતી. આ કૃતિ મોરબી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
- text
મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…
લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..
https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL
- text