માળીયાના વેજલપર ગામે રડતું બાળક છાનું ન રહેતા માતાનો આપઘાત

- text


મોરબી : માળીયા તાલુકાના વેજલપર ગામે પોતાનું રડતું બાળક છાનું ન રહેતા લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વેજલપર ગામે ખેતમજૂરી કરતા સુનીબેન રાયસિંગભાઈ વસુનિયાનો નાનો દીકરો કાર્તિક વધારે પડતો રડતો હોય જે તેણી જોઈ ન શકતા ગત તા.10 નવેમ્બરના રોજ ખડમાં છાટવાની દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ તેમના વતન બડવાની મધ્યપ્રદેશમાં સારવારમાં ખસેડાતા સારવાર દરમિયાન 23 નવેમ્બરના રોજ મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text