મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી માતાને શ્રદ્ધાંજલિ અર્પણ

- text


મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયાએ પોતાના સદગત માતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

સ્વ. દીવાળીબેન ધરમશીભાઈ ઝાલરીયાની પૂણ્યતિથી નિમિતે તેમના પુત્ર નિવૃત SBI બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ, સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text