પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

- text


મોરબીઃ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્ન મહોત્સવ આગામી સમયમાં યોજાનાર છે. ત્યારે આ સમૂહ લગ્ન મહોત્સવમાં કન્યાઓને કરિયાવર અને અન્ય રોકડ દાન આપવા ઈચ્છતા લોકોએ સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

સમૂહ લગ્નમાં સહભાગી થનાર દીકરીઓને કરિયાવરમાં કુલ 106 જેટલી વિવિધ વસ્તુઓ આપવામાં આવશે સાથે જ સમૂહ લગ્નના આયોજન માટે રોકડ દાન પણ સ્વીકારવામાં આવશે. તો જે કોઈ કરિયાવર તથા રોકડ દાન આપવા ઈચ્છુક હોય તેઓએ અમિત મચ્છોયા (મો.નં. 9428277707), ભરત જાદવ (મો.નં. 9898719251), ભરત મુંડીયા (મો.નં. 99245 45426), હસમુખ મચ્છોયા ( 98249 18510), પરેશ મંડલી (મો.નં. 9898720653), વિપુલ જોગીદાસ (મો.નં. 99983 40197), હિતેશ ભલગામા (મો.નં. 98794 70574) પર સંપર્ક કરવા જણાવાયું છે અને 12-01-2023 સુધીમાં દાન જમા કરાવનારનું નામ કંકોત્રીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ લગ્ન સ્થળે બેનર જાહેરાત આપવા માટે પણ સંપર્ક કરવા જણાવાયું છે.

- text