ટંકારાના નાના રામપર ગામે શક્તિ માતાજીના જન્મોત્સવની ઉજવણી રદ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

- text


 

ટંકારા : ટંકારા તાલુકાના નાના રામપર ગામે પુલ દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટતા શક્તિ માતાજીના જન્મોત્સવની ઉજવણી રદ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ વર્ષે ટંકારાના નાના રામપર ગામે શ્રી શક્તિ માતાજીનો 947મો જન્મોત્સવ ઉજવવાનો હતો. પરંતુ મોરબી ઝુલતાપુલની દુર્ઘટનાને કારણે આ ઉત્સવ રદ કરી મૃતકોની આત્માની શાંતિ અર્થે પાંચ મિનિટ નું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઝુલતાપુલની રંગોળી પણ દોરવામાં આવી હતી. દર વર્ષે આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ ઉત્સવ પુલ દુર્ઘટનાને કારણે રદ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય એ છે કે શ્રી શક્તિ માતાજી ઝાલા પરિવારના રાજમાતા છે તેમજ ઝાલા પરિવારના જન્મદાત્રી છે. તેમ ઝાલા યશપાલસિંહ તેમજ સમસ્ત ઝાલા પરિવાર-નાના રામપરની યાદીમાં જણાવાયુ છે.

- text

- text