નસીતપર ગામે 8મીએ નાટક અને કોમિક ભજવાશે

- text


ટંકારા: આગામી તારીખ 8 નવેમ્બર ને મંગળવાર ને દેવ દિવાળીના રોજ રાત્રે 9-30 કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ ખાતે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા મહાન ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા અને સાથે કોમિક દિકરો દયારામ ભજવવામાં આવશે.

- text

તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text