ટંકારા તાલુકામાં 31મીએ 16 ગામોમાં યોજાશે એકતા દોડ

- text


 

ટંકારા : સમગ્ર મોરબી જિલ્લામાં અનેક સ્થળોએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આગામી 31મીએ એકતા દોડ યોજાનાર છે. જેમાં ટંકારા તાલુકામાં 16 ગામોમાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારામાં તાલુકા કક્ષાની એકતા દોડ યોજાશે. જેમાં મામલતદાર કચેરીથી લતીપર ચોકડી થઈને એમડી વિદ્યાલય અને તાલુકા શાળા સુધી આ દોડ યોજાશે. જેનો સમય સવારે 7થી 9નો રહેશે. આ ઉપરાંત જબલપુર, સજ્જનપર, હરબટીયાળી, લજાઈ, મિતાણા, નાના ખીજડિયા, નસીતપર, નેકનામ, બંગાવડી, છતર, હડમતિયા, ધૂનડા, સાવડી, વિરપર, હીરાપર, નેસડામાં પણ એકતા દોડ યોજાનાર છે.

- text

- text