આન ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વૃધ્ધોને જરૂરી વસ્તુની કીટ અપાઈ 

- text


મોરબી : દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા “આન દિલસે દિવાળી” પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેરમાં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમમાં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ માં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડી ને દિવસ પસાર કર્યો હતો. AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાતના 18 શહેરોમાં કરવામાં આવી ચુક્યો છે.

- text

- text