નવયુગ શૈક્ષણિક સંકુલ આયોજિત થનગનાટ નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ મનમુકીને ઝુમ્યા

- text


મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.જી.થી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રાસગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે માં આદ્યશક્તિને 56 ભોગનો પ્રસાદ ધરાવાયો હતો.

આ નવરાત્રી મહોત્સવમાં સારા પરફોર્મન્સને ધ્યાનમાં લઇ અલગ અલગ ગ્રુપને અલગ અલગ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ એકશન વગેરે નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ, મોમેન્ટો આપી બિરદાવ્યા હતા. આ કાર્યક્રમને તમામ સ્ટાફ મેમ્બરે સફળ બનાવ્યો હતો તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text