મોરબીમાં રોડ ઉપર ટ્રાફિક રોકી નમાજ પઢનાર અસ્થિર હિન્દુ યુવક નીકળ્યો

- text


 

મોરબી : મોરબીમાં રોડ ઉપર પથ્થરોની આડસ મૂકી એક વ્યક્તિ નમાજ પઢતો હોય પોલીસે તેને હસ્તગત કરી પૂછપરછ કરતા તે વ્યક્તિ હિન્દૂ હોવાનું અને માનસિક રીતે પીડિત હોવાનું ફલિત થતા પોલીસ પણ અચરજમાં મુકાઈ હતી.

પોલીસે જાહેર કરેલ વિગતો અનુસાર મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટેકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો હોવાની માહીતી મળતા તુરંત જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને પોલીસે હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા હોવાનુ જણાવેલ. આ વ્યક્તિ દેખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનુ જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છેલ્લા આઠેક માસથી માનસીક રીતે પીડાય છે, તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે અને આજરોજ ઘરેથી નીકળી ગયેલ હતો. બાદમાં પોલીસે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ હતી.

- text

- text