માળિયા મામલતદારની ડે.કલેક્ટર તરીકેની બઢતી સાથે બદલી

- text


 

માંગરોળના મામલતદારને પણ પ્રમોશન સાથે મોરબીમાં મુકાયા

મોરબી : માળિયા મામલતદારની ડે.કલેક્ટર તરીકેની બઢતી સાથે રાજકોટમાં બદલી કરવામાં આવી છે. સામે માંગરોળના મામલતદારને પણ પ્રમોશન સાથે મોરબીમાં ડે. કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.

- text

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 26 મામલતદારોની ડેપ્યુટી કલેક્ટરના પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. આ સાથે 42 ડેપ્યુટી કલેક્ટરોના પણ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં માળિયા મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.સી. પરમારને ડેપ્યુટી કલેકટરના પ્રમોશન સાથે રાજકોટ ગ્રામ્યમાં સ્ટેમ્પ ડ્યુટીની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે માંગરોળના મામલતદાર એચ.કે. પરમારને ડે. કલેકટર મોરબી કલેકટર કચેરીમાં ડે. કલેકટર – 2 તરીકે મુકવામાં આવ્યા છે.

- text