અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવી દીધેલી લાશ મળી

- text


મોરબીના કેરાળી ગામ નજીક લાશ મળી આવ્યા બાદ બનાવનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી

મોરબી : મોરબીના કેરાળી ગામ પાસે અજાણ્યા યુવાનની સળગાવી દીધેલી લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. લાશ દોરડાથી બાંધેલી હાલતમાં હોવાથી પોલીસે હાલ આ યુવાનની કોઈએ અંગત કારણોસર હત્યા કરીને લાશને સળગાવી દીધી હોવાનુ પ્રાથમિક તારણ દર્શાવી બનાવનું સચોટ કારણ જાણવા એફએસેલને તપાસ માટે જાણ કરીને લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કેરાળી ગામ પાસે આમરણ ગામ તરફ જવાના રોડ ઉપર એક અજાણ્યા પુરુષની સળગેલી હાલતમાં લાશ પડી હોવાની સ્થાનિકોએ જાણ કરતા તાલુકા પીએસઆઇ અજમેરી સહિતનો પોલીસ સ્ટાફ દોડી જઈને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે પોલીસની તપાસમાં આશરે 30 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની દોરડાથી બાંધી દઈ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેની આસપાસ તપાસ કરી હતી પણ મૃતકની ઓળખ મળે તેવો કોઈ પુરવો તેમજ અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. પોલીસે લાશને તાકીદે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

- text

ડેડબોડી સળગેલી હોય બનાવનું સ્પષ્ટ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ અને એફએસએલની તપાસ જરૂરી હોવાથી પોલીસે લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડી એફએસએલની ટીમને જાણ કરી હતી. આ અંગે તાલુકા પીએસઆઇ અજમેરીએ જણાવ્યું હતું કે લાશ દોરડાથી બાંધેલી હોવાથી હાલના તબબકે પહેલા કોઇપણ રીતે હત્યા કરી પછી સળગાવી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન છે. આમ છતાં આ બનાવનું સાચું કારણ ફોરેન્સિક પીએમ અને એફએસએલની તપાસમાં બહાર આવશે.

- text