વાંકાનેર નજીક સિરામિક ફેકટરીની ઓરડીમાં આગ લાગતાં ચાર શ્રમિકો દાઝયા

- text


ચારેય ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા સિરામિકના કારખાનામાં આવેલ લેબરરૂમમાં આગ લાગતાં ચાર શ્રમિકો દાઝયા હતા. ચારેય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકામાં માટેલ રોડ ઉપર અમરધામ નજીક આવેલા લેટોજા સિરામિક ફેકટરીના લેબર રૂમમા ગેસ લીકેજના કારણે આગ લાગતાં ઓરડીમાં રહેલા આશિષ સીધા પાલ (ઉ.વ.૨૦), કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭), સચિન સમેલા પાલ (ઉ.વ.૧૯) અને પવન કલુ પાલ (ઉ.વ.૧૮) દાઝી જતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- text

આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના સ્ટાફ દોડી જઇ કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત રાત્રીના ચારેય શ્રમિકો ઓરડીમાં સુતા હતા. ત્યારે કોઈ કારણોસર ઓરડીમાં રહેલો ગેસનો બાટલો લીકેજ થવા લાગ્યો હતો. જેના કારણે વહેલી સવારે કોઈએ ઓરડીની બહાર આગની ચિંગારી સળગાવતા તુરંત જ આગ ઓરડીમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે પળવારમાં જ આગના રોદ્ર સ્વરૂપમાં આશિષ, કમલેશ, સચિન અને પવન ઝપટે ચડી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા.

- text