મોરબીમા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


રાજ્યમંત્રી અને રામધન આશ્રમના મહંતના હસ્તે 150 વિદ્યાર્થીઓના સન્માન કરાયા

મોરબી : મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં કે.જી.થી લઈ કોલેજ સુધીના 150થી વધુ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સદગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો 25મો વિદ્યાર્થી સન્માન સમારોહ મોરબી ગોસ્વામી સમાજની વાડી ખાતે યોજાયો હતો.જેમાં કે.જી થી કોલેજ સુધીના 150 જેટલા વિદ્યાર્થીઓના સન્માન રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને ગોસ્વામી સમાજના આગેવાનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયા હતા.

સન્માન સમારોહનો પ્રારંભે તાજેતરમા મૃત્યુ પામેલ સદગત આત્માઓમાં ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ સ્વ.મહેન્દ્રગીરી ગોસ્વામી (ભાવનગર), જંત્રાખડી ગામની સગીર બાળા, અનેમોરબીમાં તાજેતરમાં થયેલ કારોબારી સભ્યો રાજુભાઇ, ગીરધરભારથી સહિત સમાજના અન્ય કૈલાસવાસીઓને શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને ગોસ્વામી સમાજને આશીર્વચન પાઠવ્યા હતા.ગોસ્વામી સમાજે શિવપંથી સંતો મહંતોનો પૂજનીય આદરણીય સમાજ છે સમાજમાં બાળકોને વધુને વધુ ભણાવી શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યના પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ” ગોસ્વામી સમાજની સરળતા,સજનતા,સહદયતા મને બહુ ગમે છે હું મારું સૌભાગ્ય માનું છું કે મને અહીં આવવાની તક મળી યુવાનો વ્યસન છોડે બહેનો ફેશન છોડે એટલે સમાજની પ્રગતિને સિદ્ધિ વધુ થશે. તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી સમાજમાં ગોસ્વામી સમાજનો બાળક કલેક્ટર,મોટો પોલીસ અધિકારી, ડોક્ટર એન્જિનિયરના પદ શોભાવે અને સમાજનું ગૌરવ વધારે.ગોસ્વામી સમાજના વિવિધ પ્રશ્નો કે કોઈપણ પ્રકારની મારી જરૂરિયાત પડે ત્યારે હું ગોસ્વામી સમાજની સાથે રહીશની ખાતરી આપું છું.દરેક તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવું છું.”

ગોસ્વામી સમાજના ઉપસ્થિત આગેવાનોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા.મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી બાપુ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ સહિત સુવિધા વધારવાનું જણાવ્યું હતું. સમાજના વધુને વધુ વિકાસના કાર્ય કરવા,સમાજના લોકોએ બનતો આર્થિક સહયોગ આપવા ભાર મૂક્યો હતો. આ પ્રસંગે જયેશગીરી (એજ્યુકેટીવ એન્જિનિયર પીજીવીસીએલ મોરબી), રામગીરીભાઈ (રાજકોટ),વિમલેશગીરી(એસબીઆઈ) સુકેતુગીરી(સીએ),ડોક્ટર જયદીપ ગોસ્વામી,એડવોકેટ કમલેશગીરી,પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી,સુખરામ બાપુ (ત્રીપાંખ સાધુ સમાજ) મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજશગીરી સહિતના સન્માન કરાયા હતા. આ સમારોહને સફળ બનાવવા ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, મંત્રી જેઠાગીરી સહિત ખજાનચી પ્રવીણગીરી, નથુગીરી,દિલીપગીરી, કૈલાશગિરી (જીઈબી) મહિપતપુરી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી આ સમારોહને સફળ બનાવ્યો હતો.

- text

- text