મોરબીના આ વિસ્તારોમાં હવે 11ને બદલે 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે

- text


અગાઉ કરેલી જાહેરાતમાં પાણી પુરવઠા તરફથી નવો મેસેજ મળતા પાલિકાએ તારીખમાં ફેરફાર કર્યો

મોરબી : શહેરમાં પાણી પુરવઠો સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોય અડધા મોરબીમાં 11 સપ્ટેમ્બરથી પાણી પુરવઠો અનિયમિત રહેવાની પાલિકાએ અગાઉ જાહેર કરતા પાણી પુરવઠા તરફથી નવો મેસેજ મળતા પાલિકાએ તારીખમાં ફેરફાર કર્યો છે અને નવી તારીખ જાહેર કરી હવે 11ને બદલે 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવું જણાવ્યું છે.

- text

મોરબી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંયુક્ત રીતે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી સપ્લાઈ અનિયમિત રહેવા અંગેની તા.9 ના રોજ કરવામાં આવેલ જાહેરાત સંદર્ભે સ્પષ્ટતા કરી હતી કે,આજે તા.10 રોજ પાણી પુરવઠા બોર્ડ તરફથી મળેલ ટેલીફોનીક મેસેજ મુજબ હવે પછી તા.-11,12,13 સપ્ટેમ્બર ૨૦૨૨ના બદલે તા.14, 15, 16 સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ શહેરમાં પાણી પુરવઠો સપ્લાઈ કરતા સમ્પ હાઉસ પૈકી સરદાર બાગ તથા પંચાસર રોડ ઉપરના પમ્પીંગ સ્ટેશનમા જરૂરી રીપેરીંગ કામ કરવાનું હોય તા.-૧૪-૧૫-૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨(દિવસ-૩) માટે શહેરના લોહાણા બોર્ડીંગ પછીના વિસ્તાર જેવોકે શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ તથા રવાપર રોડ, શનાળા રોડ, કેનાલ રોડ, ભક્તિ નગર સર્કલ, પંચાસર રોડ, ચિત્રકૂટ સોસાયટી ૧થી૬ તથા લાતી પ્લોટ વિસ્તારમાં પાણી પુરવઠાની સપ્લાઈ અનિયમિત રહેશે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

- text