વાંકાનેરમા બે યુવાન અને એક મહિલાએ ગળેફાંસો ખાધો 

- text


કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુના પાંચ બનાવ

વાંકાનેર : વાંકાનેરમાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવ સામે આવ્યા છે. જેમાં એક મહિલા અને બે યુવાનોએ ગળેફાંસો ખાઈ લેવાની સાથે અન્ય બે વ્યક્તિના પણ અકાળે મૃત્યુ નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેવી સ્થિતિમાં ત્રણ વ્યક્તિઓએ તો ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જેમાં પ્રથમ ઘટનામાં વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપૂત ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે બીજી ઘટનામાં વાંકાનેર આરોગ્ય નગરમાં રહેતા સંદીપભાઇ જગદીશભાઈ ગોરીયા ઉ.26 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઉપરાંત ત્રીજા બનાવમાં વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા ઉ. 36 નામના મહિલાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત પણ અન્ય બે બનાવમાં બે વ્યક્તિના અકાળે મૃત્યુ થતા પોલીસે પાંચેય કિસ્સામાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text