વાંકાનેરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાના હસ્તે લઘુમતી મોરચાના હોદ્દેદારોનું સન્માન કરાશે

- text


વાંકાનેર : ભાજપના રાષ્ટ્રીય નેતા ડોક્ટર ઝહીર ખાન આજરોજ વાંકાનેરની મુલાકાતે આવી રહ્યા હોય ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના હોદ્દેદારોનું તેમના હસ્તે સન્માન કરવામાં આવશે.

વાંકાનેરમાં આજરોજ તા.3ના રોજ બપોરે 3 : 30 કલાકે ગરાસીયા બોર્ડિંગ ખાતે લઘુમતી મોરચાની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.જેના મુખ્ય મહેમાન તરીકે ભાજપ અગ્રણી રાષ્ટ્રીય નેતા ડોક્ટર ઝહીર ખાન આવી રહ્યા છે તેઓએ સામાજિક વૈજ્ઞાનિક માટે મોટું યોગદાન આપ્યું છે.તેઓ વર્ષ 2018માં ભાજપમાં જોડાયા હતા અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019 અને વિધાનસભા ચૂંટણી-2021માં સ્ટાર પ્રચારક અને રાષ્ટ્રીય પ્રચાર ટીમના સભ્ય હતા.

ડૉ. ઝહીર ખાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે. તેમણે સામાજિક, આરોગ્ય અને વસ્તીના મુદ્દાઓની તપાસ કરતા 36 થી વધુ લેખો, પેપર્સ અને અહેવાલો પ્રકાશિત અને રજૂ કર્યા છે.તેઓ રાષ્ટ્રીય રૂટલ હેલ્થ મિશનના સલાહકાર હતા.જેમાં દેશભરમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓની પાયલોટ પરીક્ષણ સમિતિનો અમલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.ડો. ઝહીર ખાનનું નામ ભારતના વિવિધ ક્ષેત્રમાં ટોચના 100 વૈજ્ઞાનિકોમાં સામેલ હતું.

- text

દેશ પ્રત્યેના તેમના શ્રેષ્ઠ પ્રયાસો માટે સરકાર અને ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને પુરસ્કાર આપવામાં આવ્યા છે.તેવા ઉચસ્તરીય નેતા દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેવાના હોય અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારોનું તેમના હાથે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તમામ લઘુમતી સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ દરેક વ્યક્તિએ ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવે છે.

- text