હળવદના ચરાડવામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા

- text


હળવદ : હળવદ તાલુકામાં એસ.એસ.સંકુલ ગુરુકુળ ચરાવડા ખાતે ચાલતી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ થતા નર્સિંગ વ્યવસાયમાં પોતે સેવાભાવે અને નિષ્ઠાથી કામ કરશે તેવા શપથ ગ્રહણ કર્યા હતા

આજરોજ એસ.એસ.સંકુલ ગુરુકુળ ચરાવડા ખાતે ચાલતી નર્સિંગ કોલેજ ANM,GNM,BS.c નર્સિંગ અને પોસ્ટ બેઝિક નર્સિંગ વગેરેના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા અને નર્સિંગ વ્યવસાયમાં પોતે જ સેવાભાવથી અને નિષ્ઠાથી કામ કરે છે.તે બદલ સામૂહિક શપથ ગ્રહણ કર્યા.આ પ્રસંગે ગત વર્ષમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.તેમજ મોરબીના જમનાદાસ બાપા,શાસ્ત્રી ચંદ્રપ્રકાશ દાસજી,મહંત નરેન્દ્રપ્રસાદ દાસ સ્વામી, સંસ્થાના સંચાલક એલ.એન.શાસ્ત્રી,મોરબી સમર્પણ હોસ્પિટલના ડો.વામજા અને જશુભાઇ હાજર રહી સમગ્ર કાર્યક્રમની શોભા વધારેલ હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અલ્કેશભાઈ,રાકેશભાઈ,કમલેશભાઇ તથા બી.એડ.કોલેજના પ્રિન્સિપાલ હર્ષાબેન તથા વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી.

- text

- text