તરણેતર મેળા નિમિત્તે ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં વધારાના કોચ જોડાશે

- text


મોરબી : થાન સ્ટેશન પાસે દર વર્ષે તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર અને ભાવનગર-ઓખા ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

- text

1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 01.09.2022 સુધી ભાવનગર-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

2. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં 30.08.2022 થી 02.09.2022 સુધી ઓખા-ભાવનગર વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

- text