મોરબી: શ્રાવણ માસના અંતિમ દિવસે શોભેશ્વર મહાદેવને વિશિષ્ટ શણગાર

- text


 

મોરબી: આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે ત્યારે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો વિવિધ રીતે ભક્તિ કરી રહ્યા છે. ત્યારે મોરબીના શોભેશ્વર મહાદેવને ફૂલોનો વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

આજે શ્રાવણ માસની અમાસ નિમિત્તે મોરબીમાં આવેલા શોભેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ફૂલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. આજરોજ શ્રાવણનો માસનો અંતિમ દિવસ હોય મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહત્વનું છે કે શોભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસનામાં દરરોજ ફૂલો વડે વિશિષ્ટ શણગાર કરીને ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી.

- text

- text