તળાવિયા શનાળા ગામે સમાજ વાડીના નિર્માણ માટે પાટીદાર સમાજ શનાળા દ્વારા ₹1,11,111નું દાન

- text


મોરબીઃ શ્રી પાટીદાર સમાજ- શક્ત શનાળા દ્વારા મોરબીના તળાવિયા શનાળા ગામે નિર્માણ પામનારી પાટીદાર સમાજની વાડી માટે ₹1,11,111નું દાનની જાહેરાત કરવામાં આવી છે. આ તકે તળાવિયા શનાળા ગામના પાટીદાર સમાજે શ્રી પાટીદાર સમાજ- શક્ત શનાળાનો આભાર વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ ગામમાં પાટીદાર સમાજની વાડી બનાવવામાં આવશે તો તેમાં શ્રી પાટીદાર સમાજ- શકત સનાળા તરફથી સહયોગ રૂપે ₹1,11,111 રકમનું અનુદાન આપવામાં આવશે તેવી થોડા દિવસ પૂર્વે જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ તળાવિયા શનાળા ગામની પાટીદાર સમાજની વાડી માટે ₹1,11,111નું દાન આપવામાં આવ્યું છે.

- text

- text