વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર, નગરજનો પરેશાન

- text


 

વાંકાનેર : વાંકાનેરમાં દાણાપીઠ ચોકથી સેવા સદન સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. જેને કારણે નગરજનો પરેશાન હોય કોંગ્રેસ આગેવાને આ મામલે મામલતદારને રજુઆત કરી છે.

કોંગ્રેસ આગેવાન ઈરફાન પીરઝાદાએ વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારને રજુઆતમાં જણાવ્યું કે દાણાપીઠ ચોકથી સેવા સદન રાજકોટ તરફ જતા રસ્તા પરના પતાળીયા બ્રિજના છેડાથી ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે. જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text

- text