મોરબી કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડના વિરોધમાં ધરણા

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લઠ્ઠાકાંડના વિરોધમાં ધરણા કરી ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કોંગ્રેસના જણાવ્યા મુજબ ભાજપ સત્તાના જોરે EDનો દુરુપયોગ કરીને દેશના લોકો માટે અવાજ ઉઠાવતા સોનિયા ગાંધીજીને ખોટી રીતે હેરાન કરીને લોકશાહીનું હનન કરી રહી છે. તેમજ ગુજરાતમાં ભાજપની મિલીભગતથી ચાલી રહેલા દારૂના ધંધાથી થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતીના આગેવાનો ફ્રંટલ સેલના તમામ હોદેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text

- text