માળીયામાં 22મી જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

- text


૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો લાભ લઈ શકશે

મોરબી : રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા. ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નવા રેલવે સ્ટેશન પાસે, સફર સંસ્થા, માળીયા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

- text

- text