વરસાદથી હાલાકીઃ સૌરાષ્ટ્ર યુનિ.ની આજની પરીક્ષાઓ રદ, મોરબીમાં વકીલો પણ કામથી દૂર રહેશે

- text


મોરબીઃ જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં આજે લેવાનાર પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. B.com, B.B.A., B.A. sem- 2ની પરીક્ષાનું આજનું પેપર રદ કરવામાં આવ્યું છે. પરીક્ષાની નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ અંગેની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે કરી છે.

સાથે જ મોરબીમાં ભારે વરસાદના પગલે વકીલોએ પણ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો છે. મોરબી બાર એસોસિયેશને આજ રોજ 12 જુલાઈના રોજ વરસાદના કારણે વકીલો અને અસિલોને હેરાનગતિ ન થાય તે માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો છે.

- text

- text