ટંકારાના હરબટીયાળી ગામે 11 જુલાઈના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

- text


ટંકારાઃ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આગામી તારીખ 11 જુલાઈ ના રોજ ટંકારાના હરબટીયાળી ગામે રક્તદાન કેમ્પ યોજાશે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ નરેશભાઈ પટેલના 57મા જન્મદિવસે રાજ્યભરના 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી 11 જુલાઈને સોમવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે મોરબી જિલ્લા સહિત રાજ્યભરના કુલ 57 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 11 જુલાઈના રોજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલી પટેલ સમાજ ની વાડી ખાતે સવારે 07:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text