મોરબી તાલુકાના ત્રણ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઇ

- text


મોરબી : આઝાદીના 75 વર્ષ પુર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં 20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસની ઝાંખી કરાવવા ગુજરાતમાં 2500 જગ્યાએ વીડિયો ફિલ્મના માધ્યમથી બતાવવામાં આવી રહી છે. મોરબી તાલુકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ત્રાજપર, લાલપર, જાંબુડીયા ગામે પહોંચી હતી. જ્યાં ગામના સરપંચ દ્વારા યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું.

વંદે ગુજરાત કાર્યક્રમમાં તાલુકા પંચાયત – મામલતદાર કચેરી મોરબી દ્વારા મંજુર થયેલ વિકાસના કામોમાં ત્રાજપર ગામે 12.27 લાખના કામો, લાલપર ગામે 9.00 લાખના કામો, જાંબુડીયા ગામે 8.00 લાખના કામોનું મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. તેમજ 100 ટકા વેક્સિનેશન બદલ સરપંચને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. સરકારની વિવિધ યોજના જેવી કે મુખ્યમંત્રી માતૃશકિત યોજના, પીજીવીસીએલ દ્વારા ગરીબ લાભાર્થીઓને મફત વિજ જોડાણ, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અન્વયે આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને રુબરુ આપવામા આવ્યા તેમજ નિરામય યોજનામાં હેલ્થ ચેકઅપ, ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણ માટે રોપા વિતરણ, આવાસ યોજનાના ચેક અર્પણ કાર્યક્રમ યોજાયા હતા.

વંદે ગુજરાત કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયંતિભાઈ પડશુંબીયા, આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારીયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન પારેધી, મહામંત્રી બચુભા રાણા, મામલતદાર નિખિલ મહેતા, તાલુકા પંચાપત વિ.અ ચાવડાભાઈ, રાજુભાઈ, જીવાણીભાઈ, ફોરેસ્ટર સોનલ બેન, પીજીવીસીએલના નાયબ ઇજનેર કગથરા સાહેબ, બચુભાઈ અમૃતિયા, તુલશીભાઈ પાટડીયા, કાનજીભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી, રાજુભાઈ પરમાર, ગોપાલભાઈ, લાલજીભાઈ સોલંકી, હસુભાઈ ખરા, અશોક વરાણીયા, સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાપત સભ્ય, તલાટી મંત્રી, શિક્ષકભાઈઓ, આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text