મોરબીમાં આગામી તા.9ના રોજ જગન્નાથ રથયાત્રા યોજાશે

- text


મોરબી : સમસ્ત ઇસ્કોન ભક્તિ ગ્રુપ મોરબી અને આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ દ્વારા આગામી તા.9ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 4.30 કલાકે મંગલ આરતી,નૃસિંહ આરતી,તુલસી પૂજા અને હરિનામ જપ, 101 – દેવ હાઈટ્સ,એસ.પી.રોડ,મોરબી ખાતે કરવામાં આવશે. રથયાત્રાનો પ્રારંભ બપોરે 3 કલાકે,રવાપર ચોકડી ગાંધી ચોક, રામચોક,ઉમિયા સર્કલ થઇ સાંજે 6 કલાકે રવાપર ચોકડીએ પૂરી થશે. રથયાત્રામાં ઇસ્કોન ગુજરાત પ્રમુખ બાસુઘોષ દાસ પણ હાજર રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા રૂગનાથભાઈ કગથરા અને પ્રવીણભાઈ લીખીયા જહેમત ઉઠાવી રહ્યા છે. સાંજે મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે.

- text

- text