- text
ગટરના પાણીના કારણે લોકોના આરોગ્યને ખતરો
મોરબીઃ શહેરના લાયન્સનગર મેઈન રોડ પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે તેને તાત્કાલિક બંધ કરવા માટે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.
- text
અબ્દુલભાઈ બુખારીએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, લાયન્સનગર મેઈન રોડ પર ગટના ગંદા પાણી કેનાલની જેમ વહી રહ્યા છે. જેના કારણે અતિશય દુર્ગંધ આવી રહી છે જેથી નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના રહીશોના આરોગ્ય ઉપર ખતરો છે. વહેલી તકે ગટરના ગંદા પાણી બંધ કરી ગટર સાફ કરાવવામાં આવે. કોઈના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થાય તે પહેલાં આ ગંદુ પાણી બંધ થાય. રોડ પર વહી રહેલા આ ગંદા પાણીના કારણે રોડનું કામ બંધ છે જે વહેલી તકે પાણી બંધ થાય તો ચાલુ થઈ શકે તેમ છે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે. હાલ શાળાઓ શરૂ થઈ ચુકી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડી રહી છે. ત્યારે આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે.
- text