૨૪મી જૂને મોરબી ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે

- text


યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઇચ્છુક ઉમેદવારોએ હાજર રહેવું

મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.24 ના રોજ સવારે 11 કલાકે, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ઔધોગિક ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિના મૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ઔધોગિક ભરતીમેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text