ટંકારામાં પતંજલી યોગ સમિતિ દ્વારા ત્રિદિવસીય યોગ મહોત્સવ

- text


ટંકારા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ટંકારામાં ત્રિદિવસીય યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો પ્રસાર અને પ્રચાર આગેવાનો દ્વારા કરવામાં આવશે.

પતંજલિ યોગપીઠ દ્વારા ભારતના આઝાદીના 75 વર્ષને અનુસંધાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાં 75 પવિત્ર તીર્થસ્થાનો પર યોગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં આગામી તા.21 મી જૂન વિશ્વ યોગ દિને સ્વામી રામદેવ મહારાજની પ્રેરણાથી પતંજલી યોગ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં ટંકારા, દ્વારકા, અને સોમનાથ તીર્થોમાં યોગાભ્યાસ કરાવાશે.

રામદેવ મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણ મહારાજે યોગને ગુફા અને શાસ્ત્રોમાંથી બહાર કાઢી ઘરે ઘરે પહોંચાડ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને ચરિતાર્થ કરવા આગામી વિશ્વ યોગ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ખોડિયાર મંદિર પાસે, આર્ય વિદ્યાલયના પટાંગણમાં તા. 21/6 ને મંગળવારે સવારે 6 થી 7:30 વાગ્યા સુધી યોગ મહોત્સવની ઉજવણી થશે. જેના પહેલા તા. 19/6 ને રવિવારે તથા 20/6 સોમવારે આ જ સ્થળે અને સમયે પ્રોટોકોલ મુજબ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

- text

જેનો પ્રચાર અને પ્રસાર સંનિષ્ઠ સાધકો, રાજકોટથી દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, અમદાવાદથી ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનિકાબેન, ઉપલેટા થી દિનેશભાઈ, કચ્છ પ્રભારી ભરતભાઈ ઠક્કર તથા તેની ટીમ, આદિપુરથી મહિમાબેન શારદાબેન, નયનાબેન, શોભનાબેન, ગોંડલ થી ભાવિકભાઈ પટેલ મોરબીથી મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, યોગગુરૂ નરસીભાઈ, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, સહપ્રભારી ખુશાલભાઈ જગોદરા, કિસાન સેવા સમિતિના પ્રભારી, ભુદરભાઈ જગોદણા, યોગ શિક્ષકો વસંતભાઈ ચારોલા, નંદલાલભાઇ મેરજા, પિયુષભાઈ કલોલા, હસુભાઈ કારોલીયા, પીનલબેન ચારોલા, મીનાબેન માકડીયા તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, ટંકારાથી આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ આર્ય, તથા આર્ય સમાજના પંડિત સુવાસ તેમજ ટંકારાના યોગ શિક્ષક કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા, ફાલ્ગુનીબેન વાઘેલા,આસ્થાનાબેન સોહરવદી, રાધિકાબેન હિશું, મીરાબેન હિશું વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text