હળવદના સુંદરીભવાનીમા આભ ફાટયા જેવી સ્થિતિમાં સર્જાઈ હતી દુર્ઘટના

- text


સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સુંદરીભવાની ગામની સીમમાં કેડ સમાણા પાણી : એક જ પરિવારના ત્રણ ત્રણ મૃત્યુ છતાં મામલતદાર સાંત્વના પાઠવવા ન પહોંચ્યા

હળવદ : હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે આજે સાંજના સમયે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિમાં ગાજવીજ સાથે પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા એક વાડીએ દીવાલ પડી જતા દીવાલ હેઠળ દટાઈ જતા મહિલા સહિત એક જ પરિવારના ત્રણ – ત્રણ સભ્યોના મૃત્યુ નિપજયા હતા. જો કે, આ કરુણ ઘટનાના પાંચ કલાક બાદ પણ હજુ સુધી મામલતદાર સુંદરીભવાની ગામે ન પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

હળવદથી અંદાજે પચીસેક કિલોમીટર દૂર આવેલ સુંદરીભવાની ગામે આજે સાંજે કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વાતવરણમાં અચાનક આવેલ પલટા બાદ આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ગાજ વીજ સાથે એક સામટો પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સુંદરીભવાની ગામે વાડીમાં કામ કરતા છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અને …. વરસાદથી બચવા વાડીએ આવેલ મકાનની દીવાલ પાસે દોડી ગયા હતા અને આ દીવાલ ભારે વરસાદમાં ધસી પડતા દીવાલ હેઠળ દબાઈ જતા ત્રણેયના મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુંદરીભવાની ગામે વાદળ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા હળવદથી સુંદરીભવાની ગામે જવાના તમામ રસ્તાઓના નાલા પુલિયા અને વોકળામાં પુર જેવી સ્થિતિમાં પાણી વહી રહ્યા છે અને જે સ્થળે દુર્ઘટના ઘટી એ વાડીએ પહોંચવા માટે કેડ સમાણા પાણીમાં જવું પડે તેવી સ્થિતિ પાંચ કલાક બાદ હોવાના અહેવાલ સાપડી રહ્યા છે.

- text

સુંદરીભવાની ગામે સર્જાયેલ આ કરુણ ઘટનાના કલાકો બાદ સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતની જાણ થતા હાલમાં તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે આવી કુદરતી આપતી વેળાએ જેમને પહેલા જવાની ફરજ છે તેવા હળવદ તાલુકા મામલતદાર ઘટનાના પાંચ કલાક વીત્યા બાદ પણ હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનું જાણવા મળે છે.

- text