વાંકાનેરના જેતપરડા ગામે અહીંથી મજૂરોને ચાલવું નહિ કહી ખેડૂત ઉપર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે વાડીએ કામ કરતા મજુરે ને અહીંથી ચાલવું નહિ કહી એક શખ્સે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને જાલી રોડ ઉપર વાડી ધરાવતા ઇલ્મુદીનભાઇ અબ્દુલભાઇ શેરસીયાની વાડીએ કામ કરતા મજૂરોને આરોપી
ભુપતભાઇ શામજીભાઇ નંદાસણીયાએ અહીંથી ચાલવું નહિ કહેતા ઇલ્મુદીનભાઇ આરોપી ભૂપતને સમજવવા જતા ભૂપત ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી લાકડાના ધોકા વડે ઇલ્મુદીનભાઇને માર માર્યો હતો.

- text

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text