મોરબીમાં કામ ધંધો બરાબર ન ચાલતા યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબી શહેરમાં મજૂરી કામે આવેલા મૂળ પંચમહાલ ગોધરા પંથકના યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય કુટુંબની જવાબદારી સાંભળવામાં મુશ્કેલી પડતા ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ટાટાના નવા શોરૂમ નજીક વિનાયક ફાર્મ હાઉસ પાસે રહેતા મૂળ ગોધરાના મીરાપ લુહાર ફળીયુ ગામે રહેતા અજયભાઇ નરવતભાઇ નાયક નામનો યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય ઉપરાંત ઘરની જવાબદારી તેના પર હોય નાસીપાસ થઈ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text