મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરીમાં ટોકનમાંથી મુક્તિ

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લાની જનતાને આધારકાર્ડની કામગીરીમાં સરળતા રહે તે માટે મોરબીની મેઈન પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરીમાં ટોકનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

- text

આધારકાર્ડમાં મોબાઈલ અપડેટ કરવા માટે પોસ્ટ ઓફિસ ખાતે દરરોજ 7-30 થી 9-30 સુધી દરરોજ કામગીરી થશે જેમાં અરજદારોએ ટોકન લેવાની જરૂર નથી. અરજદારોને તુરંત જ આ કામગીરી કરી આપવામાં આવશે જેનો ચાર્જ 50 રૂપિયા ચૂકવવાનો રહેશે. સાથે જ ખેડૂતો માટે પીએમ કિસાન કેવાયસી કરવા માટે આધારકાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર હોય તો તેઓને દરરોજ 7-30 થી 9-30 વાગ્યા દરમિયાન આવવાનું રહેશે.

- text