- text
હળવદ : હળવદ શહેરના કૃષ્ણનગરમાં રહેતા પ્રેમજીભાઈ પત્નીના મૃત્યુ બાદ માનસિક આઘાતમાં સરી પડ્યા બાદ ગઈકાલે પોતાની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ કૃષ્ણનગરમાં રહેતા પ્રેમજીભાઇ મોતીભાઇ ચાવડાના પત્નીનું અવસાન થયા બાદ સતત ચિંતામાં રહી માનસિક બીમાર થઈ ગયા હોય ગઈકાલે હળવદ નજીક ખરખરીયા વોકરા પાસે આવેલ તેમની વાડીએ ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text