મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે પાણી છોડવાની સિંચાઈ મંત્રી સમક્ષ ઢગલા બંધ રજૂઆતો

- text


રાજ્ય મંત્રીએ ખેડૂતોને પ્રાણ પ્રશ્નને વાચા આપી તેના ઉકેલ માટે સિંચાઈ મંત્રી અને નર્મદા નિગમ મેનેજીંગ ડિરેકટરનું ધ્યાન દોર્યું

મોરબી : મોરબી અને માળીયામાં હાલ વાવેતર માટે નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાની જરૂર હોવાથી પદાધિકારીઓએ આ અંગે રજુઆત કરી હતી. આથી મોરબી-માળીયા(મી) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાના પ્રશ્નને વાચા આપી રાજયમંત્રી મેરજાએ મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે પાણી છોડવાની સિંચાઈ મંત્રી સમક્ષ દરખાસ્ત કરી છે.

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવા માટે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને ધ્યાન દોરેલ હતું. એટલુ જ નહિ પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પણ ખેડૂતોની આજીવિકાના હાલના પ્રાણ પ્રશ્ન એવા નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગેની બાબતને ધ્યાને મૂકી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.24ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી જિલ્લાના વવાણિયામાં આવ્યા હતા.ત્યારે આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

- text