હળવદમાં યુવાનની પ્રેમ સબંધમાં કૌટુંબિક મામના દીકરાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- text


પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો, હત્યા કરનાર કૌટુંબિક મામના દીકરાની ધરપકડ

હળવદ : હળવદના ઘણાદ ગામે આજે યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને પોતાની બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી તેના જ કૌટુંબિક મામના દીકરાએ આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે હત્યા કરનાર કૌટુંબિક મામના દીકરાની ધરપકડ કરી હતી.

- text

હળવદના ઘણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ (ઉવ.૨૪) નામના યુવાનને આજે કોઈએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતા આ યુવાનની બીજા કોઈએ નહિ પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આથી આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ જીજરીયા (ઉવ.૨૩ ધધો-પ્રા.નોકરી રહે ઘણાદ તા-હળવદ) એ આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળી (રહે કવાડીયા તા-હળવદ) તથા તપાસમાં ખુલ્લે તે તમામ માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇ ઉવ.૨૪ને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળી રહે કવાડીયા વાળાની દિકરી સાથે પ્રેમ સંબધ હોય જેનુ મનદુખ રાખી આરોપીએ અન્ય સાથે આવી મૃતક પોતાની વાડીએ સુતા હતા ત્યા કોઇપણ હથીયારો સાથે આવી મરણ જનારને હથીયારો વડે માથામા મારી જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવીને હત્યા કરી નાખી હતી. હાલ હળવદ પીઆઇ માથુકીયા , પીએસઆઇ ટાપરીયા, ચેતનભાઈ કળવાતર, ભરતભાઈ આલ,બિપીનભાઈ પરમાર,દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, પ્રફુલભાઇ સોનગ્રા, ઇતેશભાઈ રાઠોડ, શક્તિસીંહ પરમાર સહિતની ટીમે શંકાના આધારે આરોપી હિરાભાઇ ઉર્ફે ભાનુભાઇ ભરતભાઇ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- text