મોરબીમાં આજે હળવદ દુર્ઘટનાના 12 શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

- text


મોરબી : મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા આજે રાત્રે હળવદ દુર્ઘટનાના 12 શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં દુઃખદ ઘટના બનેલ, તેમાં મૃત્યુ પામેલા 12 શ્રમિકોની આત્માને શાંતિ મળે તે માટે આજે તા. 21ને શનિવાર રાત્રે 8-30 કલાકે મોરબીમાં નહેરુ ગેટ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ કાર્યક્રમનું આયોજન સામાજિક કાર્યકરો જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા, હશીનાબેન તેમજ રાજૂભાઈ દવે, અનીલ મગનભાઈ પરમાર, જયદીપ ઝીંઝુવાડીયા દ્વારા કરવામાં આવ્યું છે.

- text

- text